|| શ્રી ગોપાલો જયતે ||
નગ્ર હવેલી નેહ, ગોપેન્દ્રલાલ ગુન ગાજે,
ગોકુલકી છબ ગેહ, પ્રાનપતિ પ્રજ પ્રાજે;
અંગીકૃત તિત એક, દરશ પ્રભુ લુબધાયો,
તેહ પીયુ તન ટેક, સુ પ્રાપત પનકી પાયો;
મોદીત સદા જન મધ્ય બબુદાસ બીરદાર,
નિરમલ પયો પદ નિધ, સુઘર સુભક્તિ સાર..૧૧૯
બબુ ભાઈ જ્ઞાતે ભાટિયા વૈષ્ણવ હતા, અને જામનગર ગામે નીવાસી હતા. તેમણે મહારાજશ્રી ને જામનગર પધરાવીને પોતાને ઘેર પધરાવ્યા અને સર્વ કુટુંબને નામ નિવેદન કરાવ્યું અને રત્નજડિત બે પોચા ભેટ ધર્યા. ગામના બીજા ઘણા લોકો વૈશ્નવ થયા. ભેટ ઘણી થઈ.
મહારાજશ્રી હવેલીમાં ઉતર્યા હતા. ત્યાં હીંચ કિર્તન-ભગવદ ગુષ્ટ અહોનીશ થતા, વૈષ્ણવો ની ભીડ રહેતી. અને સાક્ષાત ગોકુલ ગામ હોય એવો ભાસ થતો હતો. બબુ ભાઈને જમુના પાન કરવાની ઘણી જ ઉત્કંઠા હતી તેથી તેમના મનનો ભાવ જાણી સાક્ષાત ગોકુલના નિધિ એવા શ્રી મહારાણીજી તથા ગીરીરાજજી તથા ગોકુલ, સમગ્ર વૃજ આપશ્રી જ્યાં બીરાજે છે ત્યાં જ દરશન કરાવ્યું અને બબુ ભાઈની ઈચ્છા પૂર્ણ કરી. એવા કૃપાપાત્ર બબુ ભાઈ હતા. તેમની વાર્તા નો પાર નથી.
એવા પરમ ભગવદીય બબુ ભાઈને આપણા દંડવત પ્રણામ પોંચે
જય શ્રી ગોપાલ
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Leave a Reply